Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બજેટની પૂર્વસંધ્યાએ આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરેને મળ્યા

બજેટની પૂર્વસંધ્યાએ આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરેને મળ્યા

Published : 01 February, 2024 09:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન શિવસેના (યુબીટી)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

બજેટની પૂર્વસંધ્યાએ આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરેને મળ્યા

બજેટની પૂર્વસંધ્યાએ આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરેને મળ્યા


મુંબઈ : આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન શિવસેના (યુબીટી)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ભૂતપૂર્વ સીએમના પુત્ર અને ​વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ મંગળવારે રઘુરામ રાજનને તેમના ઘર માતોશ્રી ખાતે હોસ્ટ કરીને ખુશ છે. નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓના ટીકાકાર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય તથા તેજસને મળ્યા હતા.


આદિત્ય ઠાકરેએ ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રઘુ રાજનજીને અમારા ઘર માતોશ્રી ખાતે હોસ્ટ કરીને ખરેખર આનંદ થયો. આરબીઆઇના ગવર્નર હોવા સહિતના તેમના વિવિધ પદ પરના યોગદાનથી આપણી અર્થવ્યવસ્થાને બહોળું યોગદાન મળ્યું છે. અમે દૃઢપણે માનીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થાને ભવિષ્યની દૃષ્ટિ સાથે આવા વ્યક્તિત્વનું માર્ગદર્શન મળવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2024 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK