ચારધામ યાત્રામાં ડ્રાઇવરો ચંપલ પહેરીને ગાડી નહીં ચલાવી શકે, શૂઝ ફરજિયાત

09 April, 2025 06:59 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડમાં ૩૦ એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. સૌથી પહેલાં ૩૦ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં કપાટ ખૂલશે. ત્યાર બાદ બીજી મેએ કેદારનાથ અને ચોથી મેએ બદ્રીનાથ ધામનાં કપાટ ખૂલશે. પરિવહન વિભાગ અને તંત્ર ઘણા દિવસોથી યાત્રાની તૈયારીમાં જોડાયેલાં છે. એ દરમ્યાન પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં ૪૩ ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. આ નિમયોનું તમામ લોકોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે.

પરિવહન વિભાગના નિયમોના મહત્ત્વના મુદ્દા

uttarakhand religious places religion kedarnath badrinath travel travel news national news news