09 April, 2025 06:59 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડમાં ૩૦ એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. સૌથી પહેલાં ૩૦ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં કપાટ ખૂલશે. ત્યાર બાદ બીજી મેએ કેદારનાથ અને ચોથી મેએ બદ્રીનાથ ધામનાં કપાટ ખૂલશે. પરિવહન વિભાગ અને તંત્ર ઘણા દિવસોથી યાત્રાની તૈયારીમાં જોડાયેલાં છે. એ દરમ્યાન પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં ૪૩ ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. આ નિમયોનું તમામ લોકોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે.
પરિવહન વિભાગના નિયમોના મહત્ત્વના મુદ્દા