૩૦ એપ્રિલે શરૂ થશે ચારધામ યાત્રા, ગંગોત્રી-યમુનોત્રી ધામનાં કપાટ ખૂલશે

29 January, 2025 11:56 AM IST  |  Kedarnath | Gujarati Mid-day Correspondent

વસંત પંચમીએ અને મહાશિવરાત્રિ પર બદરીનાથ અને કેદારનાથ ધામનાં કપાટ ખૂલવાની તિથિ જાહેર થશે

ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામ

આ વર્ષે ચારધામ યાત્રાનો શુભારંભ ૩૦ એપ્રિલે થશે. ધાર્મિક પરંપરા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામનાં કપાટ ખૂલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થાય છે. એ પહેલાં બીજી ફેબ્રુઆરીએ વસંત પંચમી પર બદરીનાથ ધામનાં તથા ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર પંચાંગ ગણના પછી કેદારનાથ ધામનાં કપાટ ખોલવાની તિથિ જાહેર કરવામાં આવશે.

mahashivratri kedarnath badrinath religious places uttarakhand char dham yatra national news news