કેળાં અને બ્રૉકલી વધારે ખાશો તો હાઈ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થશે

16 April, 2025 12:58 PM IST  |  Ottawa | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં કૅનેડાની યુનિવર્સિટી ઑફ વૉટરલૂના રિસર્ચરોએ કરેલા વૈશ્વિક અભ્યાસમાં દાવો થયો છે કે બ્રૉકલી અને બનાના જેવી પોટૅશિયમથી ભરપૂર ફૂડ-આઇટમ્સ ભોજનમાં પ્રચુર માત્રામાં ઉમેરવાથી બ્લડપ્રેશર નીચું લાવવામાં મદદ મળે છે.

પ્રતીકાત્મક તસવીર

રોજિંદા ખોરાકમાંથી મળતા ચોક્કસ ઘટકોથી બ્લડપ્રેશર નિયંત્રણમાં નોંધનીય ફરક આવી શકે છે એ વાત હવે સાબિત થઈ ચૂકી છે. જોકે તાજેતરમાં કૅનેડાની યુનિવર્સિટી ઑફ વૉટરલૂના રિસર્ચરોએ કરેલા વૈશ્વિક અભ્યાસમાં દાવો થયો છે કે બ્રૉકલી અને બનાના જેવી પોટૅશિયમથી ભરપૂર ફૂડ-આઇટમ્સ ભોજનમાં પ્રચુર માત્રામાં ઉમેરવાથી બ્લડપ્રેશર નીચું લાવવામાં મદદ મળે છે. વિશ્વમાં ૩૦ ટકા પુખ્તોને હાઇપરટેન્શનની સમસ્યા છે. એમાંથી લગભગ પચીસ ટકા દરદીઓનું બ્લડપ્રેશર લાઇફસ્ટાઇલ-રિલેટેડ જીવનશૈલીને કારણે હોય છે. આ પ્રકારની સમસ્યામાં ચોક્કસ પોષક ઘટકોની આપૂર્તિથી લોહીના ભ્રમણનું પ્રેશર ઘટાડી શકાય છે. જેમને પણ સિસ્ટમિક ખામી એટલે કે શરીરના અવયવોમાં કોઈ ખામી સિવાયનાં કારણોથી હાઇપરટેન્શન હોય તેમને પોટૅશિયમ રિચ ડાયટથી પ્રેશરને કન્ટ્રોલમાં લાવવામાં મદદ મળે છે.

યુનિવર્સિટી ઑફ વૉટરલૂના નિષ્ણાતોનું કહેવું છે કે ‘જ્યારે પણ કોઈને હાઈ બ્લડપ્રેશર હોય ત્યારે એને ઓછું સૉલ્ટ ખાવાનું કહેવામાં આવે છે. આ બદલાવને કારણે સોડિયમ ઇન્ટેક કાબૂમાં આવે છે. જોકે પોટૅશિયમ ખનીજને કારણે રક્તવાહિનીઓમાં લોહીનો સંચાર સરળ બને છે. એટલે સોડિયમ ઘટાડવાની સાથે પોટૅશિયમ વધારવું જરૂરી છે. એ માટે બનાના અને બ્રૉકલી જેવા નૅચરલ ઘટકોથી બ્લડપ્રેશરમાં ફાયદો જોવા મળે છે. રોજના ભોજનમાં બનાના અને બ્રૉકલી જેવાં પોટૅશિયમ રિચ ફૂડનો સમાવેશ કરવાથી હાઇપરટેન્શનની દવાઓના ડોઝમાં પણ ઘટાડો થઈ શકે છે. 

canada tech news healthy living mental health health tips life and style