શાહિદે લોકોને સલાહ આપી ‘મૈદાન’ જોવાની

15 April, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોની કપૂરે બનાવેલી આ ​ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે.

અજય દેવગન , શાહિદ કપૂર

અજય દેવગનની ‘મૈદાન’ ગુરુવારે રિલીઝ થઈ છે અને શાહિદ કપૂરે લોકોને આ ફિલ્મ જોવાની સલાહ આપી છે. બોની કપૂરે બનાવેલી આ ​ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેમનું સમર્પણ અને યોગદાન આ ફિલ્મ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ ઇન્સ્ટાસ્ટોરી પર શાહિદે લખ્યું કે ‘‘મૈદાન’ જોવાની મને ખૂબ મજા આવી હતી. ફિલ્મ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવી છે. જઈને જુઓ. આ ખરેખર જોવા જેવી ફિલ્મ છે. સારી ફિલ્મો જોવી જોઈએ. આખી ટીમને શુભેચ્છા આપું છું.’

entertainment news bollywood buzz bollywood news social media ajay devgn shahid kapoor boney kapoor maidaan