26 October, 2024 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે ૨૭ ફ્લાઇટમાં બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટોમાં વિસ્તારા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટની કુલ સાત-સાત ફ્લાઇટ અને ઍર ઇન્ડિયાની છ ફ્લાઇટનો સમાવેશ થતો હતો. ઇન્ડિગોની કોઝીકોડથી દમ્મામ જતી ફ્લાઇટને સલામતીને લગતી ધમકી મળી હતી. ઉદયપુર-દિલ્હી ફ્લાઇટમાં બૉમ્બ મૂકવાની ધમકી મળતાં ફ્લાઇટને સલામત રીતે અલગ વિસ્તારમાં લઈ જઈને આખી ફ્લાઇટની ચકાસણી કરવામાં આવી હતી. ઇન્ડિગોની અન્ય ફ્લાઇટોમાં ઉદયપુરથી દિલ્હી, દિલ્હીથી ઇસ્તાનબુલ, જેદ્દાહથી મુંબઈ, મુંબઈથી ઇસ્તાનબુલ, હૈદરાબાદથી ચંડીગઢ અને પુણેથી જોધપુરની ફલાઇટનો સમાવેશ થતો હતો. ગયા બાર દિવસમાં ૨૭૫થી વધારે ફ્લાઇટોમાં બૉમ્બ મૂકવાની ધમકી મળી છે.