કોર્ટે રાજ ઠાકરેની ધરપકડ કરવાનું વૉરન્ટ બહાર પાડ્યું

01 September, 2024 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬ વર્ષ પહેલાં બસોની તોડફોડનો અને આગ લગાડવાનો કેસ

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની ધરપકડ કરવાનું વૉરન્ટ લાતુરની નિલંગા કોર્ટે જાહેર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. લાતુરના ઉદગીરમાં ૨૦૦૮માં MNSના કાર્યકરોએ રાજ્ય પરિવહનની બસોની તોડફોડ કરવાની સાથે આગ લગાવી હતી. સ્થાનિક પોલીસે રાજ ઠાકરે સહિત આઠ મનસૈનિકો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ ઠાકરે હાજર નથી રહ્યા એટલે શુક્રવારે તેમની ધરપકડનું વૉરન્ટ કાઢવામાં આવ્યું છે. આ જ કેસમાં અગાઉ પણ રાજ ઠાકરે સુનાવણીમાં હાજર નહોતા રહ્યા એટલે તેમણે કોર્ટમાં જઈને ધરપકડનું વૉરન્ટ રદ કરાવવું પડ્યું હતું. આથી પણ રાજ ઠાકરેએ ફરી એક વખત કોર્ટમાં હાજર થવું પડશે.

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena latur maharashtra news