બાહરિનમાં ગણેશજીની મૂર્તિ તોડનાર બે મહિલા સામે આકરાં પગલાં લેવાશે

18 August, 2020 12:44 PM IST  |  Manama | Agencies

બાહરિનમાં ગણેશજીની મૂર્તિ તોડનાર બે મહિલા સામે આકરાં પગલાં લેવાશે

ગણપતિ બાપ્પા

બાહરિનના એક સુપર માર્કેટની દુકાનમાં વેચાણ માટે મુકાયેલી ગણપતિની મૂર્તિઓને કેટલીક બુરખાધારી મહિલાઓએ તોડી નાખી હતી અને હો હા મચાવી હતી. આ મહિલાઓ બરાડી બરાડીને એવું કહેતી હતી કે આ એક મુસ્લિમ દેશ છે. અહીં આવી મૂર્તિઓ વેચી નહીં શકાય.

જોકે બાહરિનની પોલીસે તરત આ બન્ને મહિલાઓની ધરપકડ કરી હતી. બાહરિનના ગૃહ ખાતાએ કહ્યું હતું કે એક ધાર્મિક સમુદાયની ધાર્મિક લાગણી દૂભાવવાનો, ધાર્મિક પ્રતીકોને નુકસાન કરવાનો અને સુપર માર્કેટની એક દુકાનમાં ભાંગફોડ કરવાનો કેસ ૫૪ વર્ષની એક મહિલા સામે માંડવામાં આવ્યો હતો. બાહરિનના ગૃહ ખાતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આવાં કૃત્યોને અમારી સરકાર માન્યતા આપતી નથી અને આકરાં પગલાં લેવાશે.

bahrain ganesh chaturthi international news