પશુઓ સાથે અમાનવીય વર્તનને જોઈને ઝીનતે કહ્યું...

05 May, 2024 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડસ્ટ્રીને મારી વિનંતી છે જાનવરોને સેટ પર કોઈ કિંમતે ન લાવવામાં આવે

ઝીનત અમાન

ઝીનત અમાન સોશ્યલ મીડિયામાં પોતાના વિચારો વ્યક્ત કરે છે અને યુવાઓને સલાહ પણ આપે છે. તાજેતરમાં જ તે જ્યાં શૂટિંગ કરી રહી હતી ત્યાં એક હાથીને આખો દિવસ બળબળતા તડકામાં ઊભો રાખવામાં આવ્યો હતો. હાથીની આવી દશા જોઈને તેને ખૂબ તકલીફ થઈ હતી. એ આખી ઘટનાને લઈને ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને ઝીનત અમાને લખ્યું કે ‘હું તાજેતરમાં જ સેટ પર પહોંચી તો ત્યાં એક પાળેલા હાથીને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં. એને તપતા ડામરના રસ્તા પર જ્વેલરી પહેરાવીને ઊભો રાખવામાં આવ્યો હતો. આખો દિવસ એ કૅમેરા સામે ઊભો હતો. હું તો મારા કૉન્ટ્રૅક્ટથી બંધાયેલી છું, પરંતુ મને પસ્તાવો થયો કે મારા કામ માટે અને લોકોના મનોરંજન માટે આ પશુને વેઠવાનું આવ્યું. જંગલી અને પાળેલાં પ્રાણીઓની દુર્દશા જોઈને હું હંમેશાં વ્યથિત થઈ જાઉં છું. કોઈ પણ પ્રાણીને કેદમાં ન રાખવું જોઈએ. ખાસ કરીને હાથી જેવા સમજદાર અને ભાવુક પશુને. હું જાણું છું કે એ અતિશય સંવેદનશીલ હોય છે. એમને કેદમાં રાખવા ક્રૂરતા કહેવાય. હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને મારા કલીગ્સને વિનંતી કરું છું કે પ્રાણીઓને કોઈ પણ કિંમતે સેટ પર ન લાવવામાં આવે. આપણે નસીબદાર છીએ કે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશમાં હાથીઓની સંખ્યા સૌથી વધુ છે. આ આપણો રાષ્ટ્રીય વારસો છે. આપણા દેશમાં એવી અનેક સંસ્થાઓ છે જે આ અદ્ભુત પશુઓના કલ્યાણ અને રક્ષણ માટે કામ કરે છે. આશા રાખીએ કે આવાં પશુઓને પણ સન્માનભેર રહેવા મળે.’

zeenat aman social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news