થિયેટર નમ્ર બનાવી રાખે છે પ્રતીક ગાંધીને

07 June, 2024 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ઘણા વખતથી ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલો છે અને ભવિષ્યમાં પણ થિયેટરમાં કામ કરતો રહે એવી તેની ઇચ્છા છે

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીનું માનવું છે કે થિયેટરમાં કામ કરવાથી તે વિનમ્ર બનીને રહે છે. તે ઘણા વખતથી ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલો છે અને ભવિષ્યમાં પણ થિયેટરમાં કામ કરતો રહે એવી તેની ઇચ્છા છે. તે આજે ફિલ્મો અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર સક્રિય છે. થિયેટર પ્રત્યેના પ્રેમ વિશે પ્રતીક કહે છે, ‘એક ઍક્ટરને થિયેટર પાસેથી ઘણુંબધું મળે છે. કલાકારના આત્માને એ પોષણ આપે છે, તેની કળાને મજબૂત બનાવે છે અને સ્ટેજ પર રિટેક્સ ન હોવાથી તેને સ્પૉન્ટેનિયસ બનાવે છે. થિયેટર મૂળ છે. એ ન માત્ર તમને વિનમ્ર બનાવે છે, સાથે જ તમારી જાતને નિખારે પણ છે. થિયેટર સૌથી વધુ ધનવાન માધ્યમ હોવું જોઈતું હતું. જો લોકો ફિલ્મ જોવા માટે પાંચસો રૂપિયા ખર્ચી શકે છે તો પછી નાટક જોવા માટે દોઢ હજાર રૂપિયા ખર્ચ કરવાની તેમની ઇચ્છા હોવી જોઈએ.’

Pratik Gandhi Gujarati Drama Gujarati Natak theatre news prithvi theatre entertainment news bollywood bollywood news