ક્યા ફાયદા ઇતની ફિટનેસ કા?

13 May, 2024 06:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈષ્ણોદેવીમાં હેલિપૅડથી મંદિર સુધી જવા માટે શિલ્પા શેટ્ટીએ ઘોડેસવારી કરી હોવાથી લોકોએ નારાજ થઈને કર્યો સવાલ

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેની ફૅમિલી સાથે વૈષ્ણોદેવી મંદિર ગઈ હતી. આ દરમ્યાન હેલિકૉપ્ટરથી મંદિર સુધી જવા માટે તેણે અને તેના ફૅમિલી મેમ્બર્સે ઘોડાનો સહારો લીધો હતો. એક તરફ સેલિબ્રિટીઝ પ્રાણીઓ સાથે આવો વ્યવહાર ન કરવા માટે અવાજ ઉઠાવે છે અને બીજી તરફ પોતે જ આ રીતે ઘોડાનો સહારો લે છે એથી સોશ્યલ મીડિયા પર લોકો નારાજ થયા છે. આ વિડિયો શમિતા શેટ્ટીએ શૅર કર્યો છે જેમાં શિલ્પા ઘોડા પર જોવા મળી રહી છે. ‘ઍનિમલ અબ્યુઝ’ કહી તેની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. સાંજીછત હેલિપૅડથી વૈષ્ણોદેવી ભવન માત્ર અઢી કિલોમીટરના અંતરે છે. આટલું પણ શિલ્પા ચાલી ન શકવાથી સોશ્યલ મીડિયા પર એક યુઝરે કહ્યું કે યોગ કરવાનો શું ફાયદો જો માતા રાની માટે આટલું પણ ચાલી ન શકાય. અન્ય એક યુઝરે કહ્યું હતું કે ક્યા ફાયદા ઇતની ફિટનેસ કા જબ જાના કિસી બેઝુબાન પે બૈઠકે હી હૈ.

entertainment news bollywood buzz bollywood news bollywood shilpa shetty shamita shetty