`દેશના પિતા નહીં લાલ હોય છે` ગાંધી જયંતી પર કરી પોસ્ટ, કંગનાની સ્ટોરી થકી વિવાદ

03 October, 2024 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kangana Ranaut: કંગના રણૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સ્ટોરી પર ગાંધી જયંતીની એક પોસ્ટ શૅર કરી છે. આ સ્ટોરીમાં તેણે લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર સાથે એક પોસ્ટ શૅર કરી છે જેમાં કંગનાએ લખ્યું કે દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે.

કંગના રણૌત (ફાઈલ તસવીર)

Kangana Ranaut: કંગના રણૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સ્ટોરી પર ગાંધી જયંતીની એક પોસ્ટ શૅર કરી છે. આ સ્ટોરીમાં તેણે લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર સાથે એક પોસ્ટ શૅર કરી છે જેમાં કંગનાએ લખ્યું કે દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે. આ પોસ્ટને મુદ્દે કૉંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને આને ગાંધીજીનું અપમાન ગણાવ્યું છે.

દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે. પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર સાથે ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શૅર કરી અભિનેત્રી તેમજ સાંસદ કંગના રણૌત ફરી એકવાર વિવાદોમાં ફસાઈ છે.

જો કે, પછીથી એક્સ પર વીડિયો શૅર કરી લોકોને ગાંધી જયંતી પર સ્વચ્છતાનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો. બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના બીજા પ્રધાનમંત્રી સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી હતી.

કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લાલ બહાદુર શાસ્ત્રીના ફોટો સાથે પોસ્ટ શૅર કરતા લખ્યું કે દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે. ધન્ય છે ભારત માતાના લાલ.

કંગનાની આ પોસ્ટ પર હવે રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ આને મહાત્મા ગાંધીનું અપમાન ગણાવી રહી છે. કેટલાક દિવસ પહેલા જ ત્રણ કૃષિ કાયદાઓને પાછા લાવવાનું નિવેદન આપીને કંગનાએ ભાજપ નેતૃત્વની મુશ્કેલીઓ વધારી દીધી હતી. પાર્ટીની ફટકાર બાદ પોતાના નિવેદન પર તેણે દુઃખ વ્યક્ત કરવું પડ્યું હતું.

કંગનાએ બે બ્રહ્મચારીઓની તરફેણમાં એક પોસ્ટ શેર કરી
શા માટે માત્ર હિન્દુ તપસ્વીઓને જ આવા સામાજિક અપમાન અને પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે? થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં બે સાધુઓને માત્ર એટલા માટે પથ્થર મારીને મારી નાખવામાં આવ્યા હતા કે તેઓ સાધુ હતા. હવે આ બંને બ્રહ્મચારીઓ તેમની પસંદગીઓ વિશે પૂછપરછ કરવામાં આવી રહ્યા છે, અને તેઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

તેણીએ શા માટે સન્યાસનો માર્ગ પસંદ કર્યો તે સમજાવવાનો લગભગ એક દાયકા જેટલો સમય થઈ ગયો છે, પરંતુ એવું લાગે છે કે કોઈ તેની વાત સાંભળવા માંગતું નથી.

મને ખૂબ દુ:ખ છે કે એક મહિલા તરીકે તમારે તમારી પસંદગીઓ માટે આટલી બધી જાહેર તપાસ, અપમાન અને ચુકાદાનો સામનો કરવો પડ્યો છે. આવું ન થવું જોઈતું હતું, માફ કરશો.

સરકાઘાટમાં પંચાયત ભવન બનાવવા માટે સાંસદ ફંડમાંથી રૂ. 14 લાખ આપવામાં આવ્યા
કંગનાએ બુધવારે સરકાઘાટ મતવિસ્તારની સુલપુર જબોથ પંચાયતમાં ગાંધી જયંતિ પર આયોજિત ગ્રામસભામાં ભાગ લીધો હતો. સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી. ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય દલીપ ઠાકુરની માંગ પર પંચાયતની ઇમારતના નિર્માણ માટે 14 લાખ રૂપિયાની રકમની રજૂઆત કરવામાં આવી હતી.

kangana ranaut mahatma gandhi gandhi jayanti congress bharatiya janata party mandi bollywood buzz bollywood news bollywood entertainment news national news