25 May, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં યોજાયેલા સન્ડે ઑન સાઇકલ અભિયાનમાં જોડાયો આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ના ‘સન્ડે ઑન સાઇકલ’ અભિયાનની ૭૫મી એડિશનમાં સામેલ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રમંડળ રમત દિવસના અવસરે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થયું હતું અને એમાં પાંચ હજારથી વધુ સાઇક્લિસ્ટો સાથે ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં આયુષમાન ખુરાનાની સાથે કેન્દ્રીય રમતગમત પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા અને ગુજરાતના ઉપ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ‘ફિટ ઇન્ડિયા આઇકન’ તરીકે આયુષમાને સાઇક્લિંગને એક શ્રેષ્ઠ મનોરંજક વ્યાયામ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે એ ફિટ ઇન્ડિયા માટે અત્યંત જરૂરી છે. આ સિવાય આયુષમાને અમદાવાદમાં યોજાનારી ૨૦૩૦ની રાષ્ટ્રમંડળ રમતો અને ભારત દ્વારા ઑલિમ્પિક્સની યજમાની કરવાની સંભાવનાઓ અંગે પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.