T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ડૅરિલ મિચલ પર બૉલ ફેંકવા બદલ અર્શદીપ સિંહે માફી માગી

10 March, 2026 02:46 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઉત્સાહમાં આવીને અર્શદીપ સિંહે બોલિંગ દરમ્યાન ફરી હાથમાં આવેલા બૉલને ડૅરિલ મિચલના પગ પર માર્યો હતો

મૅચ બાદ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે એક વિડિયો શૅર કર્યો હતો

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ દરમ્યાન ડૅરિલ મિચલ પર બૉલ ફેંકવા બદલ ભારતના યંગ પેસ બોલર અર્શદીપ સિંહે માફી માગી હતી. આ ઘટના ભારતના ૨૫૬ રનના લક્ષ્યનો પીછો કરતા સમયે ૧૧મી ઓવરમાં બની હતી. ઉત્સાહમાં આવીને અર્શદીપ સિંહે બોલિંગ દરમ્યાન ફરી હાથમાં આવેલા બૉલને ડૅરિલ મિચલના પગ પર માર્યો હતો. ડૅરિલ મિચલે એ સમયે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મૅચ બાદ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે એક વિડિયો શૅર કર્યો હતો એમાં અર્શદીપ સિંહ ડૅરિલ મિચલને ભેટીને માફી માગતો જોવા મળ્યો હતો.

t20 world cup world cup arshdeep singh india indian cricket team team india new zealand narendra modi stadium ahmedabad cricket news sports sports news