અયોધ્યામાં રામમંદિરના પ્રવેશદ્વાર પર લાખો જૂતાં-ચંપલ જમા, બહુ ચાલવું પડતું હોવાથી લોકો લેવા પાછા નથી આવતા

04 March, 2025 10:18 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામમંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર ગેટ નંબર એક રામ પથ પર સ્થિત છે. અહીં દર્શન કરવા આવતા ભક્તોનાં જૂતાં-ચંપલ જમા કરાવવામાં આવે છે.

મંદિરના પ્રવેશદ્વાર પર લાખો જૂતાં અને ચંપલ જમા થયાં છે

અયોધ્યામાં રામલલાનાં દર્શન કરવા આવનારા ભાવિકોની સંખ્યા મહાકુંભના કારણે વધી ગઈ હોવાથી ક્રાઉડ-મૅનેજમેન્ટ માટે મંદિર પ્રશાસને નિયમોમાં જે ફેરફાર કર્યા હતા એના કારણે મંદિરના પ્રવેશદ્વાર પર લાખો જૂતાં અને ચંપલ જમા થયાં છે. આ ચંપલને મશીનોની મદદથી ટ્રૉલીઓમાં ભરીને બીજા સ્થળે ડમ્પ કરવામાં આવી રહ્યાં છે.

રામમંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર ગેટ નંબર એક રામ પથ પર સ્થિત છે. અહીં દર્શન કરવા આવતા ભક્તોનાં જૂતાં-ચંપલ જમા કરાવવામાં આવે છે. મંદિર પરિસરનું અડધો કિલોમીટરનું ચક્કર લગાવી ભાવિકો ફરી ત્યાં આવીને જૂતાં લઈ શકે છે, પણ ભીડ નિયંત્રિત કરવા માટે ભક્તોને હવે ગેટ નંબર ત્રણ કે અન્ય ગેટથી બહાર કાઢવામાં આવે છે. રામ પથ વન-વે હોવાથી ભક્તોને તેમનાં ચંપલ પાછાં લેવા આવવા માટે ઘણું અંતર કાપવું પડે છે. આના કારણે ઘણા ભાવિકો ચંપલ લીધા વિના જ જતા રહે છે અને એથી ગેટ નંબર એક પર જૂતાંનો ઢગલો જમા થઈ રહ્યો છે.

ayodhya ram mandir kumbh mela religious places religion hinduism national news news