16 October, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હવામાન ખાતાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે દેશમાંથી નૈઋત્યના મૉન્સૂને વિદાય લીધી છે. જોકે એમ છતાં જે રીતે પ્રી-મૉન્સૂન ઝાપટાં પડે છે એમ મૉન્સૂને વિદાય લીધા બાદ પણ થોડા દિવસો સુધી ઝાપટાં પડતાં રહેશે. એટલું જ નહીં, મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં શનિવાર સુધી ગાજવીજ સાથે પણ ઝાપટાં પડી શકે. હવે ઉત્તર પૂર્વ તરફથી પવન વાઈ રહ્યા છે જેના કારણે દક્ષિણનાં રાજ્યોમાં હવે છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. વળી બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો હોવાથી એની પણ કેટલીક અસર જોવા મળશે અને એને કારણે પણ હળવાં ઝાપટાં દક્ષિણનાં રાજ્યોમાં જોવા મળશે.