ફ્લાઈટ્સમાં બૉમ્બની ધમકીઓની કરોડોમાં કિંમત ચુકાવવી પડે છે એરલાઇન્સને, કિંમત જાણીને ચોંકી જશો

19 October, 2024 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Bomb Threat Calls to Airlines: બૉમ્બની ધમકીનો એક ફોન એરલાઈન્સને ૩ કરોડ રુપિયા સુધીનું નુકસાન કરાવે છે, જાણો શું શું થાય છે નુકસાન!

પ્રતીકાત્મક તસવીર

કલ્પના કરો કે તમે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છો અને અચાનક કેપ્ટન તમને જાણ કરે છે કે પ્લેનમાં બૉમ્બની ધમકી (Bomb Threat Calls to Airlines) છે અને કહે છે કે ફ્લાઈટ હવે ડાયવર્ટ કરવામાં આવી રહી છે, તો આવી સ્થિતિમાં માત્ર તમે અને પ્લેનમાં સવાર મુસાફરો જ નહીં તમામ લોકો તણાવમાં તો હશે જ, પરંતુ સંબંધિત એરલાઇન્સ માટે પણ તે મોટો માથાનો દુખાવો સાબિત થશે. વાસ્તવમાં, કોઈપણ ફ્લાઇટનું અચાનક ડાયવર્ઝન અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં વિલંબથી ઓપરેશનલ ખર્ચમાં ભારે વધારો થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઇન્સ (Indian Airlines Bomb Hoax) આ સમસ્યાઓનો સામનો કરી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ડિયન એરલાઈન્સને આવા ઘણા ખોટા સમાચારોનો સામનો કરવો પડ્યો છે, જેમાં ફ્લાઈટમાં b|મ્બની ધમકીઓ મળી હતી. આ કારણે તેમના ઓપરેશનલ ખર્ચમાં ભારે વધારો થયો છે. કેટલાક લોકોને લાગે છે કે આવી ક્રિયા માત્ર એક ટીખળ છે અને તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ આ સાચું નથી, કારણ કે આવી પરિસ્થિતિઓનું સતત બનવું એ એરલાઈન્સ માટે ભારે નુકસાન સાબિત થઈ રહ્યું છે અને એવા સમયે ઢધારે મુશ્કેલ જ્યારે એરલાઈન્સ પહેલેથી જ સંઘર્ષ કરી રહી છે. ઉડ્ડયન નિષ્ણાતોનું કહેવું છે કે, બૉમ્બના ભયને કારણે ફ્લાઈટ ડાયવર્ઝન થવાથી એરલાઈન્સને પ્રતિ કલાક આશરે ૧૩થી ૧૭ લાખ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે.

છેલ્લા ત્રણ દિવસમાં જ ભારતીય એરલાઈન્સને ૧૩ વખત બૉમ્બની અફવાઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે આ ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવી પડી છે, તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં વિલંબ થયો છે અથવા તો કેન્સલ પણ કરવી પડી છે. જો કે આ ધમકીઓ ઘણીવાર ખોટી સાબિત થઈ છે, તે એરલાઈન્સને વાસ્તવિક નાણાકીય ફટકો આપે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકલી બૉમ્બની ધમકીઓને કારણે એરલાઇન્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખર્ચ પર પણ નોંધપાત્ર અસર થઈ છે, જેના કારણે એરલાઈન્સને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 14 ઓક્ટોબરે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા બોઈંગ 777 પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 200 મુસાફરો અને લગભગ 130 ટન જેટ ઇંધણ ધરાવતા આ વિમાનના સુરક્ષિત ઉતરાણ માટે 100 ટનથી વધુ ઇંધણ છોડવું પડ્યું હતું. આના કારણે ઇંધણો બગાપ તો થયો જ પરંતુ એરલાઇનને રૂ. 1 કરોડ ($120,000)નું નુકસાન પણ થયું. આ નુકસાન રૂ. 3 કરોડ ($360,000) થી વધુ થવાની ધારણા છે, જેમાં લેટ લેન્ડિંગ ફી, મુસાફરો માટે રહેઠાણ, એરક્રાફ્ટનું ગ્રાઉન્ડિંગ અને ક્રૂ સભ્યોની બદલીનો સમાવેશ થાય છે.

ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારી પાસે હજુ સુધી કોઈ ચોક્કસ આંકડા નથી, પરંતુ આ જોખમોને કારણે એરલાઈન્સને ભારે ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થાય છે ત્યારે મુશ્કેલી વધે છે. આ ઉપરાંત, આ સ્થિતિમાં એરલાઇન્સને ક્રૂને ઓવરટાઇમ વેતન ચૂકવવા, માર્ગો માટે વધારાનું ઇંધણ અને ફસાયેલા મુસાફરો માટે હોટલમાં રહેવા જેવા વધારાના ખર્ચનો પણ સામનો કરવો પડે છે. આ બધા કારણોસર, બૉમ્બની ધમકીઓ બહુ મોંઘી સાબિત થાય છે.

bomb threat indigo air india spicejet Vistara india national news