અમે બાબા સિદ્દીકીની હત્યા કરનારાઓને ફાંસી અપાવીશુંઃ એકનાથ શિંદે

15 October, 2024 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબા સિદ્દીકી પર જેમણે પણ હુમલો કર્યો છે તે કોઈને પણ નહીં છોડીએ

એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘બાબા સિદ્દીકી પર જેમણે પણ હુમલો કર્યો છે તે કોઈને પણ નહીં છોડીએ, દરેકને ફાંસીએ ચડાવીશું. આ કેસ સંદર્ભે અમે ફાસ્ટ ટ્રૅકમાં કેસ ચલાવીને કોર્ટમાં તેમને ફાંસી આપવામાં આવે એવી માગ કરીશું. બીજાં રાજ્યોમાંથી મુંબઈમાં આવીને દાદાગીરી કરશો તો એ નહીં ચલાવી લેવાય, તેમને જેવા સાથે તેવાની ભાષામાં જવાબ આપવામાં આવશે. હવે જો કોઈ કાયદો હાથમાં લેશે તો તેને જરા પણ નહીં બચાવાય, તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને ફાંસીની સજા થાય એ માટે પૂરી કોશિશ કરીશું.’ 

mumbai news mumbai eknath shinde maharashtra news maharashtra lawrence bishnoi baba siddique political news