નાલાસોપારામાં વરસાદથી બાપ્પાને બચાવવા ગયા એમાં મૂર્તિ નમી પડી

14 September, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૂર્તિ નીચે ફસાયેલા ગણેશભક્તોને સુખરૂપ બહાર કાઢવામાં આવ્યા હતા. નીચે ફસાયેલા કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નહોતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

હવામાન ખાતાની આગાહી મુજબ શનિવારે અને રવિવારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે અચાનક ફરીથી દેખા દીધી ત્યારે નાલાસોપારા-વેસ્ટના યશવંત ગૌરવ વિસ્તારમાં ગણેશભક્તો દ્વારા લઈ જવામાં આવતી મૂર્તિને એ વરસાદમાં ખરાબ ન થાય એ માટે પ્લાસ્ટિક ચડાવવાનો પ્રયાસ કરતી વખતે મૂર્તિ અચાનક પડી ગઈ હતી. મૂર્તિની નીચે ચારથી પાંચ ગણેશભક્તો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં અમુક લોકોને ઈજા થઈ હતી. જોકે સદ્ભાગ્યે મૂર્તિને કોઈ નુકસાન થયું નહોતું. પોલીસને આ વાતની જાણ થતાં જ રેસ્ક્યુ માટે ટીમ રવાના કરવામાં આવી હતી અને મૂર્તિ નીચે ફસાયેલા ગણેશભક્તોને સુખરૂપ બહાર કાઢવામાં આવ્યા હતા. નીચે ફસાયેલા કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નહોતી.

mumbai news mumbai nalasopara ganesh chaturthi