17 April, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્માએ રાજ્ય વિધાનસભામાં પસાર થયેલા ‘ફ્રીડમ ઑફ રિલિજિયન બિલ 2026’ને આખરી મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મોકલી આપ્યું છે.
રાજ્યપાલે આ બિલ પર પોતે હસ્તાક્ષર કરવાને બદલે એને રાષ્ટ્રપતિના વિચારાર્થે મોકલવાનો નિર્ણય લીધો છે. એનું મુખ્ય કારણ એ છે કે આ બિલમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કેટલીક કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલથી કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર બન્ને પ્રભાવિત થતી હોવાથી રાજ્યપાલે એને રાષ્ટ્રપતિ પાસે મોકલવાનું યોગ્ય માન્યું છે. આ બિલ ચાલુ વર્ષે માર્ચમાં બજેટસત્ર દરમ્યાન પસાર કરવામાં આવ્યું હતું. જો રાષ્ટ્રપતિ આ બિલને મંજૂરી આપશે તો મહારાષ્ટ્રમાં ધર્મપરિવર્તન વિશેના નિયમો અત્યંત કડક બનશે.