12 September, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શંકર ભગવાનની આંખો ઉઘાડ-બંધ થાય એવી કરામત કરવામાં આવી છે
લાલબાગચા રાજાનાં પ્રથમ દર્શનનું ગઈ કાલે આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિબાપ્પા મોરયાના ગગનનાદ સાથે તેમનાં પ્રથમ દર્શનને ભક્તોએ વધાવી લીધાં હતાં. લાલબાગચા રાજાની આ વખતની થીમમાં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના મંદિરની રચના કરવામાં આવી છે અને એ મંદિરની ઉપર શંકર ભગવાન બેસાડવામાં આવ્યા છે. વળી એ શંકર ભગવાનની આંખો ઉઘાડ-બંધ થાય એવી કરામત કરવામાં આવી છે. લાલબાગના બ્રિજ પરથી પસાર થતા મોટરિસ્ટો અને ટૂ-વ્હીલર ચલાવતા લોકો પણ તેમના પર એક નજર નાખી, શીશ નમાવીને આગળ નીકળી જતા જોવા મળ્યા હતા.