BREAKING NEWS: મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન

28 January, 2026 10:23 AM IST  |  Baramati | Gujarati Mid-day Online Correspondent

Ajit Pawar Dead: મહારાષ્ટ્રના બારામાતીમાં પ્લેન-ક્રેશ દુર્ઘટના, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું નિધન; અકસ્માતનું કારણ અને અજિત પવારની સ્થિતિ વિશે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના બારામતી (Baramati)માં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)નું નિધન થયું છે. આ વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા છે.

મહરાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નેશનાલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ના નેતા અજિત પવાર પોતાના ખાનગી વિમાનમાં બારામતી જઈ રહ્યા હતા. બારામતીમાં પ્લેનના લેન્ડિંગ વખતે અકસ્માત (Ajit Pawar Dead) થયો હોવાની માહિતી છે.

અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે બારામતી (Baramati Plane Crash) જઈ રહ્યા હતા. બારામતીમાં ઉતરાણ કરતી વખતે વિમાન ક્રેશ થયું. અકસ્માત બાદ વિમાનની અંદર ભીષણ આગ લાગી ગઈ. આગની વચ્ચે વિમાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા.

અહેવાલો અનુસાર, અજિત પવાર આજે ચાર મહત્વપૂર્ણ જાહેર સભાઓમાં હાજરી આપવા માટે બારામતી જઈ રહ્યા હતા. બારામતી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે વિમાન ક્રેશ થયું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતમાં કોઈ બચી શક્યું નહીં.

મુંબઈ (Mumbai)થી વિમાન ઉડાન ભર્યાના એક કલાક પછી, સવારે ૯ વાગ્યાની આસપાસ આ ઘટના બની.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અકસ્માત બારામતીમાં રનવે નજીક થયો હતો.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation - DGCA)ના જણાવ્યા અનુસાર, અજિત પવાર સાથે વિમાનમાં બે મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા. પ્રારંભિક માહિતી અનુસાર, દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વિમાનમાં બે અન્ય કર્મચારીઓ, એક વ્યક્તિગત સુરક્ષા અધિકારી અને એક સહાયક, પાયલોટ-ઇન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર ઉપરાંત મુસાફરી કરી રહ્યા હતા.

વિમાન લેન્ડિંગ કરતી વખતે ખુલ્લા મેદાનમાં પડી ગયું હોવાના અહેવાલ છે. અજિત પવાર આગામી જિલ્લા પરિષદની ચૂંટણીના સંદર્ભમાં સવારે ૧૧ વાગ્યે બારામતીમાં એક જાહેર રેલીને સંબોધિત કરવાના હતા. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, તેમના સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ સાથે, સવારે ૭ વાગ્યે મુંબઈથી આઠ સીટર ચાર્ટર્ડ વિમાનમાં રવાના થયા. તેમના કાર્યક્રમમાં નીરવગજ (સવારે ૧૦ વાગ્યે), પાંઢરે (બપોરે ૧૨ વાગ્યે), કરંજેપુલ (બપોરે ૩ વાગ્યે) અને સુપા (સાંજે ૫.૩૦ વાગ્યે)માં મીટિંગ્સનો સમાવેશ થતો હતો. આ ઘટનાઓ શરૂ થવાના થોડા સમય પહેલા જ આ અકસ્માત થયો હતો.

પ્રારંભિક અહેવાલો મુજબ, વિમાન દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, અજિત પવારના નિધનના સમાચાર મળતા પત્ની સુનેત્રા પવાર (Sunetra Pawar) અને સુપ્રિયા સુલે (Supriya Sule) બારામતી માટે દોડી ગયા હોવાના અહેવાલ છે.

ajit pawar plane crash celebrity death nationalist congress party baramati maharashtra news maharashtra mumbai mumbai news