ડિવૉર્સી બાદશાહનું કહેવું છે કે મારાં લગ્નની અફવા ફેલાવવાનું બંધ કરો

03 April, 2023 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહે અગાઉ ૨૦૧૨માં જૅસ્મિન મસીહ સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૭માં તેઓ એક દીકરીના પેરન્ટ્સ બન્યા હતા.

રૅપર બાદશાહ

રૅપર બાદશાહે આક્રમક શબ્દોમાં મીડિયાને જણાવ્યું છે કે તેનાં લગ્નની અફવા ફેલાવવાનું બંધ કરવામાં આવે. બાદશાહે અગાઉ ૨૦૧૨માં જૅસ્મિન મસીહ સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૭માં તેઓ એક દીકરીના પેરન્ટ્સ બન્યા હતા. જોકે ૨૦૨૦માં તેઓ અલગ થઈ ગયાં હતાં. જૅસ્મિન તેની દીકરી સાથે લંડનમાં રહે છે અને બાદશાહ મુંબઈમાં રહે છે. જોકે હવે બાદશાહનાં રિલેશન પંજાબી ઍક્ટ્રેસ ઈશા રેખી સાથે હોવાની ચર્ચા છે. બન્ને આ મહિને લગ્ન કરવાનાં છે એવી અફવાએ જોર પકડ્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે તેઓ નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં ગુરદ્વારામાં લગ્ન કરવાનાં છે. આ બધી ચર્ચા બાદશાહના કાને પડતાં તેણે મીડિયાને ચેતવણી આપી છે. ઇન્સ્ટાસ્ટોરી પર બાદશાહે લખ્યું કે ‘ડિયર મીડિયા, હું તમને ખૂબ સન્માન આપું છું, પરંતુ આ ખરેખર બકવાસ છે. હું લગ્ન નથી કરવાનો. જે લોકો તમને આવી માહિતી પહોંચાડે છે તેમણે વધુ સારા મસાલેદાર ન્યુઝ શોધવાની જરૂર છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood badshah