‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને ૩૭ શહેરમાં ફરી રિલીઝ કરવામાં આવશે

10 February, 2023 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શહેરમાં મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, લખનઉ, નોએડા, દેહરાદૂન, દિલ્હી, ચંડીગઢ, કલકત્તા, ગુવાહાટી, બૅન્ગલોર, હૈદરાબાદ, ઇન્દોર, ચેન્નઇ અને ​િત્રવેન્દ્રમની સાથે ટોટલ ૩૭ શહેરમાં રિલીઝ થવા જઈ રહી છે

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને ૩૭ શહેરમાં ફરી રિલીઝ કરવામાં આવશે

શાહરુખ ખાનની ‘દિલવાલે દુલ્હનિયાં લે જાએંગે’ને વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ફરી રિલીઝ કરવામાં આવશે. શાહરુખ ખાનની આ ફિલ્મ વિશ્વમાં થિયેટર્સમાં સૌથી વધુ ચાલેલી ફિલ્મ છે. આ​ ફિલ્મને ઇન્ડિયાનાં લગભગ ૩૭ શહેરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ શહેરમાં મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, લખનઉ, નોએડા, દેહરાદૂન, દિલ્હી, ચંડીગઢ, કલકત્તા, ગુવાહાટી, બૅન્ગલોર, હૈદરાબાદ, ઇન્દોર, ચેન્નઇ અને ત્રિવેન્દ્રમની સાથે ટોટલ ૩૭ શહેરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ દસ ફેબ્રુઆરીથી થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે અને એ એક અઠવાડિયા સુધી થિયેટર્સમાં રહેશે. યશરાજ ફિલ્મ્સનાં ૨૫ વર્ષ થયાં હતાં ત્યારે શાહરુખની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને રિલીઝ કરવામાં આવી હતી. આ પ્રોડક્શન હાઉસને ૫૦ વર્ષ થતાં શાહરુખની ‘પઠાન’ રિલીઝ કરવામાં આવી છે. જોકે હવે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને પણ રિલીઝ કરવામાં આવી રહી છે. આથી દર્શકો રાજ અને પઠાન બન્નેને આ વૅલેન્ટાઇન્સ ડે દરમ્યાન જોઈ શકશે.

entertainment news bollywood news bollywood gossips bollywood dilwale dulhania le jayenge Shah Rukh Khan valentines day