૩૫ વર્ષ બાદ ફરી રિલીઝ થાય છે મૈંને પ્યાર કિયા

21 August, 2024 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૩ ઑગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે

ફિલ્મનો સીન

સલમાન ખાન અને ભાગ્યશ્રીની જોડીને ચમકાવતી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ ૧૯૮૯માં રિલીઝ થઈ હતી. હવે ૩૫ વર્ષ બાદ ફરીથી આ ફિલ્મ ૨૩ ઑગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. સૂરજ બડજાત્યાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આલોકનાથ, રીમા લાગુ, મોહનીશ બહલ અને લક્ષ્મીકાંત બેર્ડે જોવા મળ્યાં હતાં. ફિલ્મની સ્ટોરી ફ્રેન્ડશિપથી શરૂ થઈને પ્રેમમાં પરિણમે છે. એ દરમ્યાન સલમાન અને ભાગ્યશ્રીની લાઇફમાં અનેક પડકાર આવે છે. સૂરજ બડજાત્યાના પ્રોડક્શન-હાઉસ રાજશ્રી ફિલ્મ્સે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, ‘પ્યારભરી દોસ્તીને ફરીથી માણવાનો સમય આવી ગયો છે, કેમ કે ‘મૈંને પ્યાર કિયા’ ૨૩ ઑગસ્ટે ફરી પાછી થિયેટરમાં રિલીઝ થવાની છે.’

maine pyar kiya Salman Khan bhagyashree alok nath reema lagoo sooraj barjatya entertainment news bollywood bollywood news