વેબ-સિરીઝ મિર્ઝાપુરની ફિલ્મ બનશે? પંકજ ત્રિપાઠીનો કાલીન ભૈયાનો રોલ હૃતિક રોશન ભજવશે?

12 September, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં ચર્ચાઈ રહી છે આ વાત

હૃતિક રોશન

સુપરહિટ વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ની ત્રણ સીઝન આવી ગયા પછી ચોથી ક્યારે આવે છે એની એના ચાહકો રાહ જોતા હશે ત્યારે એવા સમાચાર આવ્યા છે કે આ સિરીઝ હવે કદાચ ફિલ્મરૂપે પણ આવે. એની સાથેના બીજા મોટા સમાચાર એ છે કે ફિલ્મરૂપે આવનારી ‘મિર્ઝાપુર’માં પંકજ ત્રિપાઠીના કાલીન ભૈયાના પાત્રમાં કદાચ હૃતિક રોશન જોવા મળે.

વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં કાલીન ભૈયાનું પંકજ ત્રિપાઠીએ ભજવેલું પાત્ર આઇકૉનિક બની ગયું છે અને ફિલ્મમાં એ પાત્રમાં જો હૃતિક જોવા મળે તો એ એક મોટું સ્કૂપ હશે.

‘મિર્ઝાપુર’ ફિલ્મરૂપે આ‍વવાની છે એના વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ ચર્ચા ઊપડી છે એટલે કંઈક શક્યતા તો હશે જ. જો ‘મિર્ઝાપુર’ ફિલ્મ તરીકે આવશે તો અલી ફઝલ, દિવ્યેન્દુ, વિજય વર્મા, શ્વેતા ત્રિપાઠી શર્મા વગેરેની જગ્યાએ બીજું કોઈ આવે છે કે તેમને જ લેવામાં આવે છે એ જોવું રસપ્રદ રહેશે.

mirzapur web series hrithik roshan pankaj tripathi upcoming movie entertainment news bollywood bollywood news