રાવણ પર બૅઝ્ડ રામાયણમાં માતા સીતાનો રોલ કરશે આલિયા ભટ્ટ, કોણ બનશે ભગવાન રામ?

22 July, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રણબીર કપૂર બાદ રામાયણ પર બેઝ્ડ ફિલ્મમાં તેમની પત્ની અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)ની એન્ટ્રી થઈ છે. તે માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. તે મેકર્સની પહેલી પસંદ છે.

આલિયા ભટ્ટ (ફાઈલ તસવીર)

રણબીર કપૂર બાદ રામાયણ પર બેઝ્ડ ફિલ્મમાં તેમની પત્ની અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)ની એન્ટ્રી થઈ છે. તે માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. તે મેકર્સની પહેલી પસંદ છે. જ્યારે ભગવાન રામ, રાવણ અને હનુમાનનું પાત્ર કોણ ભજવશે તેમના નામ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ગઈ છે.

જ્યારે નિતેશ તિવારીની રામાયણની કાસ્ટિંગ થઈ રહી હતી ત્યારે ચારેબાજુ ચર્ચા હતી કે આલિયા ભટ્ટ માતા સીતાની ભૂમિકા ભજવશે. અહીં સુધી કે કેટલાક ફેન્સ તો ડિમાન્ડ પણ કરી રહ્યા હતા કે તે માતા સીતા બને. જો કે, એવું શક્ય થઈ શક્યું નહોતું. પણ હવે આલિયાના ફેન્સની આ ડિમાન્ડ પૂરી થવા જઈ રહી છે.

રણબીર કપૂર બાદ આલિયા ભટ્ટ પણ રામાયણ ફિલ્મમાં જોવા મળવાની છે. તે માતા-સીતાની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ, કન્નપ્પા (Kannappa) સ્ટાર વિષ્ણુ મંચૂ (Vishnu Manchu)એ આનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ભગવાન રામની ભૂમિકા કોણ ભજવી રહ્યું છે.

રામાયણમાં ભગવાન રામ બનવાનો હતો આ એક્ટર
હવે તમને કન્ફ્યૂઝન થઈ રહ્યું છે કે અહીં કઈ રામાયણની વાત કરવામાં આવી રહી છે? તો તમને જણાવવાનું કે આ નિતેશ તિવારીની રામાયણ નથી પણ મોહન બાબૂની રામાયણ પર આધારિત ફિલ્મની વાત કરવામાં આવી રહી છે. વર્ષ 2009માં મોહન બાબૂ રામાયણ પર આધારિત ફિલ્મ બનાવવાના હતા પણ કોઈક કારણસર તે પોસ્ટપોન થઈ ગઈ હતી. હવે વર્ષો બાદ તેમના દીકરા અને એક્ટર વિષ્ણુ મંચૂએ રિવીલ કર્યું છે કે તે રામાયણ ફિલ્મ લઈને આવી રહ્યા છે.

વિષ્ણુ મંચુએ સ્ટાર કાસ્ટનો ખુલાસો કર્યો
નયનદીપ રક્ષિત સાથેની વાતચીતમાં વિષ્ણુ મંચુએ ફિલ્મ રામાયણ વિશે મોટી અપડેટ આપી છે. તેઓ કહે છે કે ફિલ્મની વાર્તા અને સંવાદો તૈયાર છે. અભિનેતાએ કહ્યું, "મેં 2009 માં રામની ભૂમિકા ભજવવા માટે સૂર્યાનો સંપર્ક કર્યો હતો. મારા પિતા રાવણની ભૂમિકા ભજવવાના હતા અને રાઘવેન્દ્ર રાવ દિગ્દર્શન કરવાના હતા. સ્ક્રિપ્ટ અને સંવાદો તૈયાર હતા, પરંતુ બજેટ બની શક્યું નહીં. સૂર્યા હજુ પણ મારા રામ અને આલિયા ભટ્ટ સીતા રહેશે. હું હનુમાનનો રોલ કરવા માંગતો હતો, પરંતુ રાઘવેન્દ્ર સર મને ઇન્દ્રજીતનો રોલ આપવા માંગતા હતા."

તમે રાવણ પર આધારિત રામાયણ ક્યારે બનાવશો?
વિષ્ણુ મંચુ રામાયણ પર આધારિત તેના પિતા સાથે જે ફિલ્મ બનાવી રહ્યા હતા તે રામ પર આધારિત નહોતી પણ રાવણ પર આધારિત હતી. તેઓ રાવણના જીવન વિશે બતાવવા માંગતા હતા. હાલમાં, એ વાતની પુષ્ટિ નથી કે વિષ્ણુ મંચુ રામાયણ પર આધારિત ફિલ્મ બનાવશે કે નહીં. તેમણે કહ્યું, "મારી પાસે સ્ક્રિપ્ટ અને સંવાદો છે પણ મને ખબર નથી કે હું ક્યારેય તે બનાવી શકીશ કે નહીં."

alia bhatt bollywood buzz bollywood news bollywood entertainment news bollywood gossips ranbir kapoor ramayan