કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026 માટે સિદ્ધિવિનાયકના આશીર્વાદ લીધા

07 March, 2026 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમના સભ્યો IPL 2026 માટે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026 માટે સિદ્ધિવિનાયકના આશીર્વાદ લીધા

ગઈ કાલે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમના સભ્યો IPL 2026 માટે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. કૅપ્ટન અજિંક્ય રહાણે, હેડ કોચ અભિષેક નાયર, CEO વેન્કી મૈસૂર સાથે રમણદીપ સિંહ, અનુકૂલ રૉય સહિતના યંગ પ્લેયર્સ KKRના લોગોવાળી જર્સી પહેરીને દર્શન કરવા પહોંચ્યા હતા. IPL 2024ની આ ચૅમ્પિયન ટીમ ગઈ સીઝનમાં પૉઇન્ટ-ટેબલમાં ૧૦ ટીમમાંથી આઠમા ક્રમે રહી હતી.

kolkata knight riders siddhivinayak temple IPL 2026 cricket news sports news