કોઇમ્બતુરમાં કૅન્સરપીડિત બાળકોને પાનો ચડાવવા પહોંચ્યા મુંબઈકર કિક્રેટર્સ

01 September, 2024 10:45 AM IST  |  Coimbatore | Gujarati Mid-day Correspondent

ક્રિકેટર્સે દરેક બાળકને ફળો અને કૂકીઝ સિવાય તેમના ઑટોગ્રાફવાળા નાના બૅટ ગિફ્ટ કર્યાં હતાં

ક્રિકેટર્સે તેમના ઑટોગ્રાફવાળા નાના બૅટ ગિફ્ટ કર્યાં હતાં

ભારતીય ટીમનો T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને મુંબઈના અન્ય ખેલાડીઓ હાલમાં કૅન્સર સામે લડી રહેલાં બાળકોને મળ્યા હતા. તામિલનાડુના કોઇમ્બતુરમાં શ્રી રામકૃષ્ણ હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલાં આ બાળકોએ લાલ ગુલાબ આપીને ક્રિકેટર્સનું સ્વાગત કર્યું હતું.

ક્રિકેટર્સે દરેક બાળકને ફળો અને કૂકીઝ સિવાય તેમના ઑટોગ્રાફવાળા નાના બૅટ ગિફ્ટ કર્યાં હતાં. મુંબઈકર સૂર્યકુમાર યાદવ બાળકોને તેમના મનપસંદ ક્રિકેટર્સ વિશે પૂછીને તેમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. બુચી બાબુ ટુર્નામેન્ટ દરમ્યાન અહીં સૂર્યકુમાર યાદવને હાથમાં ઈજા થઈ હતી જેને કારણે તે આ મહિનામાં શરૂ થતી દુલીપ ટ્રોફીમાં રમી શકશે કે નહીં એના પર સવાલ ઊભા થયા છે.

cancer suryakumar yadav shreyas iyer tamil nadu coimbatore cricket news sports sports news