UPSCના વડા મનોજ સોનીએ આપ્યું રાજીનામું

21 July, 2024 07:49 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

તેમના રાજીનામાને હાલમાં વિવાદિત પૂજા ખેડકરના મુદ્દા સાથે કોઈ સંબંધ નથી

મનોજ સોની

યુનિયન સર્વિસ પબ્લિક કમિશન (UPSC)ના ચૅરમૅન મનોજ સોનીએ એક પખવાડિયા પહેલાં વ્યક્તિગત કારણસર આવેલા રાજીનામાની માહિતી ગઈ કાલે જાહેર થઈ હતી. તેમનો કાર્યકાળ ૨૦૨૯ની ૧૫ મેએ પૂરો થાય છે. આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના રાજીનામાને હાલમાં વિવાદિત પૂજા ખેડકરના મુદ્દા સાથે કોઈ સંબંધ નથી. તેમણે વ્યક્તિગત કારણસર રાજીનામું આપ્યું છે. જોકે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. જાણીતા શિક્ષણવિદ સોનીએ ૨૦૧૭ની ૨૮ જૂને કમિશનના મેમ્બર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ૨૦૨૩ની ૧૬ મેએ તેમણે UPSCના ચૅરમૅન તરીકે શપથ લીધા હતા. 

national news UPSC new delhi delhi news india