લાલ કૃષ્ણ અડવાણીને હૉસ્પિટલમાં દાખલ કરાયા

07 August, 2024 08:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અડવાણીને ગઈ કાલે સવારે દિલ્હીમાં આવેલી અપોલો ઇન્દ્રપ્રસ્થ હૉસ્પિટલના ન્યુરોલૉજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા

લાલ કૃષ્ણ અડવાણી

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પીઢ નેતા ૯૬ વર્ષના લાલ કૃષ્ણ અડવાણીને ગઈ કાલે સવારે દિલ્હીમાં આવેલી અપોલો ઇન્દ્રપ્રસ્થ હૉસ્પિટલના ન્યુરોલૉજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે એક મહિના પહેલાં જ તેમને આ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડૉ. વિનીત સૂરી તેમનો ઉપચાર કરી રહ્યા છે. તેમની તબિયત હાલ સ્થિર છે અને તેમને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

l k advani bharatiya janata party apollo hospital new delhi national news