હજૂરસાહિબનાં દર્શન કરવા માટે કાનપુરથી આ ખાસ ઘોડાઓ ગોવિંદપુરી પહોંચ્યા

30 August, 2024 10:52 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

ગયા રવિવારે નાંદેડ રેલવે-સ્ટેશનથી સિખોના પાંચ તખ્ત કહેવાતાં યાત્રાધામોની સ્પેશ્યલ ટ્રેન યાત્રા શરૂ થઈ હતી

તસવીર સૌજન્ય : એજન્સી

ગુરુ ગોબિંદ સિંહના ઘોડાના વંશજો પણ પંજ તખ્ત સ્પેશ્યલ ટ્રેનમાં દર્શન આપવા નીકળ્યા. ગયા રવિવારે નાંદેડ રેલવે-સ્ટેશનથી સિખોના પાંચ તખ્ત કહેવાતાં યાત્રાધામોની સ્પેશ્યલ ટ્રેન યાત્રા શરૂ થઈ હતી. ૧૨ દિવસમાં લગભગ ૧૩૦૦ શ્રદ્ધાળુઓ પાંચ યાત્રાધામોએ માથું ટેકવશે. આ ટ્રેનયાત્રામાં સંગત ગુરુ ગોબિંદ સિંહજીના ઘોડાના વંશજોએ પણ ટ્રેનના લગેજના ડબ્બામાં સવારી કરી હતી. આ વંશજોનાં દર્શન કરવા માટે અનેક સિખ શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. 

kanpur national news life masala