ભુતાનના વડા પ્રધાને અયોધ્યામાં રામમંદિરમાં દર્શન કર્યાં

06 September, 2025 08:01 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

ભુતાનના વડાએ સમગ્ર પરિસરનો પરિચય મેળવ્યો હતો અને લગભગ બે કલાક મંદિરમાં રહ્યા હતા

ભુતાનના વડા પ્રધાન દાસો શેરિંગ ટોબગે

ભુતાનના વડા પ્રધાન દાસો શેરિંગ ટોબગે ગઈ કાલે તેમનાં પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા હતા. બન્નેએ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. સવારે ૧૦ વાગ્યે મંદિરમાં પહોંચેલા ભુતાનના વડાએ સમગ્ર પરિસરનો પરિચય મેળવ્યો હતો અને લગભગ બે કલાક મંદિરમાં રહ્યા હતા.

તેમણે રામદરબારનાં પણ દર્શન કર્યાં હતાં. એ પછી કુબેર ટીલા, જટાયુ અને સપ્તમંડપમનાં મંદિરોમાં પણ દર્શન કર્યાં હતાં.

bhutan ayodhya ram mandir india uttar pradesh national news