બૅન્ગલોરમાં પ્રેમિકાની હત્યા કરીને તેના ૫૯ ટુકડા કરનારા પ્રેમીએ ઓડિશામાં આત્મહત્યા કરી

27 September, 2024 02:22 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

લગ્નને લઈને થયેલી બોલાચાલી વખતે મહાલક્ષ્મીએ હિંસક બનીને હુમલો કર્યો એટલે ગુસ્સે ભરાયેલા મુક્તિ રંજન રેએ કરેલા વળતા અટૅકમાં ગયો પ્રેમિકાનો જીવ

મહાલક્ષ્મી

બૅન્ગલોરમાં રહેતી ૨૯ વર્ષની મહાલક્ષ્મીની હત્યા કરીને તેના મૃતદેહના ૫૯ ટુકડા કરનારા નરાધમ મુક્તિ રંજન રેએ પણ ઓડિશામાં એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મહાલક્ષ્મીના પ્રેમીએ આત્મહત્યા કરવા પહેલાં સુસાઇડ- નોટ લખી હોવાનો પોલીસે દાવો કર્યો છે અને એની શરૂઆત તેણે ‘એ મેં કર્યું...’થી કરી છે. જોકે આ સુસાઇડ-નોટમાં તેણે આવું શું કામ કર્યું એના વિશે પણ વિગતવાર લખ્યું છે. પોલીસ અત્યારે આ નોટ તેણે જ લખી છે કે નહીં એની હૅન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે તપાસ કરાવી રહી છે.

આરોપીએ સુસાઇડ-નોટમાં લખ્યું છે કે ‘બીજી સપ્ટેમ્બરે મહાલક્ષ્મીને રજા હોવાથી હું હંમેશ મુજબ તેને મળવા ગયો હતો. ત્યાં અમારી વચ્ચે લગ્નને લઈને બોલાચાલી થઈ હતી. એ દરમ્યાન મહાલક્ષ્મી હિંસક બની ગઈ અને તેણે મારા પર હુમલો કર્યો હતો એટલે મને પણ ગુસ્સો આવ્યો અને મેં વળતો હુમલો કર્યો એમાં તેનું મૃત્યુ થયું.’

ત્યાર બાદ આ મર્ડરને છુપાવવા માટે તેણે મહાલક્ષ્મીના મૃતદેહના ટુકડા કર્યા, પણ એનો નિકાલ ન કરી શકતાં તેણે આ ટુકડાઓ ફ્રિજમાં છુપાવી દીધા હતા. શરૂઆતમાં પોલીસને અશરફ નામની વ્યક્તિ પર શંકા હતી, કારણ કે તેનું મહાલક્ષ્મી સાથે અફેર હતું; પણ તેઓ એક વર્ષ પહેલાં જ છૂટાં પડી ગયાં હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યા બાદ તેની ઊલટતપાસ કરીને છોડી મૂક્યો હતો. ગાર્મેન્ટની દુકાનમાં કામ કરતી મહાલક્ષ્મી છેલ્લા થોડા સમયથી તેના પતિથી અલગ રહેતી હતી.

national news odisha bengaluru suicide murder case Crime News