અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલો, ભાજપે ગુંડા મોકલ્યા હોવાનો AAPએ કર્યો આરોપ

25 October, 2024 09:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Arvind Kejriwal Attacked in Padayatra: અરવિંદ કેજરીવાલજી પર હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે- મનીષ સિસોદિયા

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Attacked in Padayatra) પર તેમની પદયાત્રા દરમિયાન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલ પર કથિત રીતે થયેલા આ હુમલાને લઈને હવે દેશમાં રાજકારણ ગરમાયું છે અને ભાજપ અને આપ બન્ને પક્ષના નેતાઓ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન અનેક વખત હુમલાઓ થયા છે.

અરવિંદ કેજરીવાલ પર થયેલા કથિત હુમલા બાબતે AAP નેતા મનીષ સિસોદિયાએ (Arvind Kejriwal Attacked in Padayatra) કહ્યું કે “અરવિંદ કેજરીવાલજી પર હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે. અમે ડરતા નથી. આમ આદમી પાર્ટી પોતાના મિશન પર અડગ રહેશે.”

દિલ્હીના સીએમ આતિશીએ (Arvind Kejriwal Attacked in Padayatra) પણ ઘટનાની નિંદા કરતાં કહ્યું કે “આજે અરવિંદ કેજરીવાલ પર તેમની પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો. ભાજપે સૌથી પહેલા તેમને નકલી કેસમાં પકડ્યા. તે જેલમાં હતો અને તેને જેલમાં ઈન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. જ્યારે તે કોર્ટમાં ગયો ત્યારે તેમને ઇન્સ્યુલિન મળ્યું. ભાજપ અરવિંદ કેજરીવાલનું કામ રોકવા માગે છે અને ભાજપ કેજરીવાલને મારવા માગે છે.” આતિશીએ કહ્યું કે “કેજરીવાલ પર હુમલો કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને દરેક વખતે તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલામાં ભાજપના કાર્યકરો સામેલ હતા. ભાજપના કેટલાક કાર્યકરો અરવિંદ કેજરીવાલને માળા પહેરાવવા આવ્યા અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને તેમના પર હુમલો પણ કરવાનો પ્રયાસ કર્યો હતો.”

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મંત્રી (Arvind Kejriwal Attacked in Padayatra) સૌરભ ભારદ્વાજે કહ્યું કે “વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપ સાથે જોડાયેલા લોકોએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.” તેમણે કહ્યું કે “જ્યારે ઈડી, સીબીઆઈ અને જેલથી પણ કામ નહોતું થયું ત્યારે હવે ભાજપના લોકો અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ થશે તો તેના માટે સીધી રીતે ભાજપ જવાબદાર રહેશે.”

સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં (Arvind Kejriwal Attacked in Padayatra) હતા ત્યારે તેમનું ઇન્સ્યુલિન બંધ કરવામાં આવ્યું હતું જેથી તેમની કિડનીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે આવો હુમલો કાયરતાપૂર્ણ છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તેને જનતાનો પ્રેમ મળી રહ્યો છે, તે સતત જનતાની વચ્ચે જઈ રહ્યો છે. જોકે આપના આ આરોપો સામે ભાજપ દ્વારા કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, પણ આ ઘટનાથી ફરી નવો રાજકીય વિવાદ વકરે તેવા એંધાણ આવી રહ્યા છે.

arvind kejriwal aam aadmi party Atishi Marlena manish sisodia bharatiya janata party political news new delhi delhi news