છત્તીસગઢમાં ૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક આત્મસમર્પણ કર્યું

12 March, 2026 10:36 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

નક્સલવાદ સામેના જંગમાં છત્તીસગઢમાં બુધવારે એક ઐતિહાસિક આત્મસમર્પણની ઘટના બની હતી

૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક ધોરણે હથિયાર હેઠાં મૂકીને આત્મસમર્પણ કર્યું

નક્સલવાદ સામેના જંગમાં છત્તીસગઢમાં બુધવારે એક ઐતિહાસિક આત્મસમર્પણની ઘટના બની હતી. ૩.૯૫ કરોડ રૂપિયાનાં ઇનામ જેમના પર જાહેર હતાં એવા કુલ ૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક ધોરણે હથિયાર હેઠાં મૂકીને આત્મસમર્પણ કર્યું હતું. જગદલપુરના શૌર્યભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં ૪૪ મહિલા સહિત કુલ ૧૦૮ નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું. તેમની પાસેથી ૩.૬૧ કરોડ રૂપિયા રોકડા, ૧.૬૪ કરોડ રૂપિયાનું સોનું અને ૧૦૧ હથિયારો મળ્યાં હતાં. તેમણે આપેલી ગુપ્ત માહિતી અનુસાર બસ્તરનાં જંગલોમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો પણ મળ્યો હતો.

national news india naxal attack chhattisgarh indian army