હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ મેકર્સ પર કર્યો સતામણીનો આરોપ

30 September, 2024 09:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Palak Sindhwani Accuses TMKOC Makers: પલકે એક નવા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની તબિયત ખરાબ છે અને તેથી જ તે શો છોડવા માગતી હતી.

પલક સિધવાની (તસવીર: મિડ-ડે)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Palak Sindhwani Accuses TMKOC Makers) દેશમાં સૌથી પ્રખ્યાત ટેલિવિઝન શો બન્યો છે. જોકે આ શોને લઈને છેલ્લા અનેક સમયથી કેટલીક નેગિટિવ વાતો સામે આવી રહી છે. આ શોને છોડી જનારા અનેક કલાકારોએ શોના મેકર્સ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવતું હોવાના આરોપો કર્યા છે અને હવે વધુ એક મહિલા કલાકારે પણ ગંભીર આરોપ કર્યો છે. સિરિયલમાં ભિડેની દીકરી સોનુની ભૂમિકા ભજવનાર પલક સિધવાનીએ શોના મેકર્સ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે નિર્માતાઓએ અભિનેત્રી વિરુદ્ધ કાનૂની નોટિસ જાહેર કરી હતી. પલકને કહ્યું કે તે શો છોડવા માગે છે અને તેના કારણે મેકર્સ તેને હેરાન કરી રહ્યા છે. હવે પલકે એક નવા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની તબિયત ખરાબ છે અને તેથી જ તે શો છોડવા માગતી હતી. એક ચેનલ સાથે વાત કરતાં પલકે કહ્યું કે તે ગયા વર્ષથી શો છોડવા માગતી હતી કારણ કે તેની તબિયત સારી નહોતી. “મેં હંમેશા વિચાર્યું કે હું ત્રણ વર્ષ ટીવી પર કામ કરીશ અને પછી બ્રેક લઈશ. ક્યારેક ટીવી ખૂબ જ વ્યસ્ત બની જાય છે કારણ કે તમે 20થી 27 દિવસ કામ કરો છો.

પોતાની સમસ્યા અંગે પલક કહે છે, `મને કેટલીક મેડિકલ કન્ડિશન છે. મારા શરીરમાં એક ફોલ્લો છે. હું તેના વિશે વધુ વિગતવાર કહીશ નહીં. મારા ડૉક્ટરે મને ઓછો તણાવ લેવા અને સારી ઊંઘ અને ઓછું કામ કરવા જેવી સારી જીવનશૈલી જાળવવાનું કહ્યું છે, પરંતુ આ શક્ય નહોતું. હું ડિસેમ્બર 2023થી શો છોડવા માગતી હતી. અને પ્રોડક્શન હેડને આ વિશે જાણ કરવામાં આવી હતી. મારી વાત સાંભળીને તેણે કહ્યું ના, અત્યારે નહીં કારણ કે કોઈ અન્ય અભિનેતા જઈ રહ્યો છે. અભિનેત્રીએ (Palak Sindhwani Accuses TMKOC Makers) કહ્યું કે મેકર્સ પણ તેને દોઢ વર્ષ સુધી રાહ જોવાનું કહેતા હતા, પરંતુ તેણે 3 મહિનામાં વિદાય લેવાનું નક્કી કર્યું. હું થોડો સમય રોકાઈ ગઈ, પણ પછી તેની અસર મારા સ્વાસ્થ્ય પર થઈ. જો હું ખુશ ન હોઉં તો હું છોડી દઈશ. પલકે કહ્યું કે મેકર્સ સાથેના વિવાદ પછી પણ મેં કામ કર્યું કારણ કે મારા કો-એક્ટરોએ મને સારી રીતે કામ કરવામાં મદદ કરી હતી. શોમાં તેણે આટલા વર્ષો સુધી કરેલી મહેનત વેડફાઈ ગઈ છે, એમ પણ પલકે કહ્યું હતું.

શોમાં તેના ખરાબ અનુભવ વિશે પલકે (Palak Sindhwani Accuses TMKOC Makers) કહ્યું કે, `ઘણા દિવસોથી તે અમારો પહેલો શોટ હતો અને ક્યારેક તે છેલ્લો હતો. અમે સેટ પર 12 કલાક રોકાઈશું જ્યારે શૂટ 10 મિનિટનું હતું. આવી વાતો થતી રહી. આ એક મોટો શો છે, પરંતુ તેમાં ઘણા કલાકારો છે, તેથી ઘણી વખત ગેરવ્યવસ્થા રહેતી હતી. મારો મૂડ સારો છે. એક શોમાં 5 વર્ષ આપ્યા પછી આ બધું થયું એટલે હવે મારે ટીવી નથી કરવું. ખબર નથી કે આ વિવાદ ખતમ થવામાં કેટલો સમય લાગશે. જોકે આ અંગે શોના મેકર્સ કે અન્ય કોઈ બીજા કલાકારે કોઈપણ જાહેરમાં નિવેદન આપ્યું નથી.

taarak mehta ka ooltah chashmah asit kumar modi television news indian television entertainment news sab tv