મારા જેવા ઍક્ટરને કઢાવી શકે એટલી તાકાત કોઈનામાં નથી

02 September, 2024 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપાલી ગાંગુલીને લીધે અનુપમા છોડવી પડી સુધાંશુ પાન્ડેને?

રુપાલી ગાંગુલી, સુધાંશુ પાન્ડે

સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’ છોડી દીધી હોવાની જાહેરાત કર્યા પછી સુધાંશુ પાન્ડે સતત ચર્ચામાં છે. આ સિરિયલમાં વનરાજ શાહનો રોલ ભજવતા સુધાંશુએ શોમાં શીર્ષક ભૂમિકા ભજવતી રૂપાલી ગાંગુલીને કારણે એમાંથી નીકળી જવું પડ્યું છે એવી વાત વહેતી થઈ છે. જોકે સુધાંશુએ આ વાતને રદિયો આપ્યો છે.

મુંબઈમાં યોજાયેલા એક અવૉર્ડ-ફંક્શનમાં સુધાંશુને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘મારી એક્ઝિટ માટે કોઈ જવાબદાર નથી. એ મારી મરજી છે કે મારે કંઈ કરવું છે કે નથી કરવું. કોઈ ઇસકે લિએ રિસ્પૉન્સિબલ નહીં હૈ... શાયદ ઇતની તાકત કિસીમેં હૈ ભી નહીં કિ કોઈ રિસ્પૉન્સિબલ હો મેરે જૈસે ઍક્ટર કો નિકાલને કે લિએ યા કહીં સે જાને કે લિએ. મેં આજ સુધી રૂપાલીનું નામ નથી લીધું. તે મારી ફ્રેન્ડ છે. હું તેના માટે આવું શું કામ બોલીશ?’

‘બિગ બૉસ’માં જવાનો છે સુધાંશુ પાન્ડે?

એક ચર્ચા એવી છે કે સુધાંશુ પાન્ડે વિવાદાસ્પદ શો ‘બિગ બૉસ’ની આગામી સીઝનમાં ભાગ લેવાનો છે. જોકે એના વિશે પૂછતાં તે કહે છે, ‘બિલકુલ ગલત ન્યુઝ હૈ મેરે ભાઈ... ઐસા કુછ ભી નહીં. ક્યારેક એ શો હોસ્ટ કરવા બોલાવશે તો હું જરૂર જઈશ, કેમ કે હું સારો હોસ્ટ છું.’

ચાહકો મને પાછો ‘અનુપમા’માં લાવવા વ્રત કરવા તૈયાર છે : સુધાંશુ

‘અનુપમા’માંથી સુધાંશુ પાન્ડે નીકળી ગયો છે એ વાત વાસ્તવિકતા બની ચૂકી હોવા છતાં તેના ચાહકો ‘વનરાજ શાહ’ને ફરી સિરિયલમાં જોવા માગે છે. સુધાંશુ કહે છે, ‘મને મારો નિર્ણય બદલવાની વિનંતી કરતા અઢળક મેસેજ આવી રહ્યા છે. ચાહકો મને સિરિયલમાં પાછો લાવવા વ્રત કરવા પણ તૈયાર છે. આ શો લોકપ્રિય છે એ તો ખબર હતી, પણ મને આ પ્રકારનો પ્રેમ મળી રહ્યો છે એ અદ્ભુત છે.’

star plus sudhanshu pandey rupali ganguly television news indian television