શાહરુખ સાથે બદલો લીધો વિજય સેતુપતિએ

31 August, 2023 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય સેતુપતિએ કહ્યું છે કે તેણે વર્ષો જૂનો બદલો શાહરુખ ખાન સાથે લીધો છે. તેમણે ‘જવાન’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

શાહરુખ ખાન-વિજય સેતુપતિ

વિજય સેતુપતિએ કહ્યું છે કે તેણે વર્ષો જૂનો બદલો શાહરુખ ખાન સાથે લીધો છે. તેમણે ‘જવાન’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ઍટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને શાહરુખની સાથે નયનતારા, પ્રિયમણિ અને સાન્યા મલ્હોત્રા જેવા ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે. શાહરુખે ગઈ કાલે ચેન્નઈની શ્રી સાંઈરામ એન્જિનિયરિંગ કૉલેજમાં ‘જવાન’નું ઑડિયો આલબમ લૉન્ચ કર્યું હતું. બદલો લેવા વિશે આ ઇવેન્ટમાં વિજય સેતુપતિએ કહ્યું કે ‘હું સ્કૂલમાં હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો. જોકે એ છોકરી શાહરુખ ખાન સરના પ્રેમમાં હતી. શાહરુખ સર, મને આ બદલો લેવા માટે ઘણાં વર્ષનો સમય લાગ્યો છે. (ફિલ્મના પ્લૉટનો રેફરન્સ આપતાં)’

આ વિશે જવાબ આપતાં શાહરુખ ખાને પોતાના મસ્તીભર્યા અંદાજમાં કહ્યું હતું કે ‘તમે બદલો સો ટકા લઈ શકો છો, પરંતુ મારાથી મારી ગર્લને ક્યારેય છીનવી નહીં શકો.’

 ચંદ્રયાન 3 બનાવનાર વૈજ્ઞાનિકે ચેન્નઈની શ્રી સાંઈરામ એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો હોવાથી ડિરેક્ટર ઍટલીએ ‘જવાન’નું ઑડિયો આલબમ એ કૉલેજમાં લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું.

અનિરુદ્ધ આર. મારા માટે દીકરા જેવો છે. ‘જવાન’ બાદ હું તેને મિસ કરીશ. કોલાવેરી ડી ગીત લૉન્ચ થયું હતું ત્યારથી હું અનિરુદ્ધને જોઈ રહ્યો છું અને હું તેને મળવા પણ માગતો હતો. ઍટલીએ જ્યારે સજેસ્ટ કર્યું કે તે અનિરુદ્ધ પાસે તામિલ અને હિન્દી માટે એક ગીત કમ્પોઝ કરાવવા માગે છે ત્યારે મેં તેને કહ્યું કે એક ગીત શું કામ, તેની પાસે દરેક ગીત કમ્પોઝ કરાવ. : શાહરુખ ખાન

 કૅટરિના કૈફ સાથેની ‘મૅરી ક્રિસમસ’ સિવાય પણ અન્ય બે બૉલીવુડની ફિલ્મમાં કામ કરી રહ્યો છે વિજય સેતુપતિ.

‘જવાન’ના ટ્રેલર-લૉન્ચ પહેલાં વૈષ્ણોદેવીના શરણે શાહરુખ

શાહરુખ ખાન ગઈ કાલે વૈષ્ણોદેવીનાં દર્શને ગયો હતો. તેની ‘જવાન’નું ટ્રેલર આજે રિલીઝ થવાનું છે અને એથી જ એ પહેલાં એટલે કે મંગળવારે રાતે જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી માતાની પૂજા કરવા માટે ગયો હતો. એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે જેમાં શાહરુખ બ્લુ જૅકેટમાં જોવા મળી રહ્યો છે અને ખૂબ જ હેવી સિક્યૉરિટી તેને એસ્કોર્ટ કરી રહી છે. તેણે માસ્ક પહેરી રાખ્યો છે જેથી તેને કોઈ ઓળખી ન શકે. તે નવ મહિના પહેલાં એટલે કે તેની ‘પઠાન’ની રિલીઝના એક મહિના પહેલાં પણ વૈષ્ણોદેવીની પૂજા કરવા માટે ગયો હતો.

 

Shah Rukh Khan upcoming movie bollywood gossips bollywood news entertainment news