ફિલ્મ્સ અને ટીવી સિરીયલના જાણીતા અભિનેતા મંગલ ધિલ્લોનનું નિધન

11 June, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મો અને ટીવી સિરિયલોના જાણીતા અભિનેતા મંગલ ધિલ્લોન( mangal dhillon)નું નિધન થયું છે.તેમની લુધિયાણાની હોસ્પિટલમાં કેન્સરની સારવાર ચાલી રહી હતી.

અભિનેતા મંગલ ધિલ્લોન

ફિલ્મો અને ટીવી સિરિયલોના જાણીતા અભિનેતા મંગલ ધિલ્લોન (Mangal dhillon Death)નું નિધન થયું છે. તેમની લુધિયાણાની હોસ્પિટલમાં કેન્સરની સારવાર ચાલી રહી હતી. અભિનેતા યશપાલ શર્માએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.

કલાજગતના વધુ એક કલાકાર, અભિનેતા મંગલ ધિલ્લોન(Mangal dhillon Death)નું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની લુધિયાણાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત છેલ્લા કેટલાક સમયથી નાજુક હતી. સારવાર દરમિયાન તેમણે રવિવારે દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતા યશપાલ શર્માએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.

મંગલ(Mangal dhillon Death) પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. આ સિવાય તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તે 1988માં આવેલી ફિલ્મ `ખૂન ભરી માંગ`માં કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. આ પછી તે મનોરંજનની દુનિયામાં સતત સક્રિય રહ્યો.

આ પણ વાંચો:  જેકી શ્રોફનાં પત્ની આયેશા શ્રોફ સાથે 58 લાખની છેતરપિંડી, મુંબઈ પોલીસે નોંધી FIR

અભિનય ઉપરાંત તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું. અભિનેતાનો જન્મ ફરીદકોટમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ અહીંથી મેળવ્યું હતું. આ પછી તે પરિવાર સાથે ઉત્તર પ્રદેશ ચાલ્યો ગયો.

જો કે, તે પછી તે પંજાબ પાછો ફર્યો અને ત્યાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ થિયેટરમાં જોડાયા. વર્ષ 1986માં તેને તેની પહેલી ટીવી સીરિયલ કથા સાગર મળી હતી. પ્રખ્યાત ટીવી શો બુનિયાદએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી.

પોતાના કરિયરમાં તેણે કિસ્મત, ધ ગ્રેટ મરાઠા, મુજરીમ હાઝીર, રિશ્તા મૌલાના આઝાદ, નૂરજહાં જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. બાદમાં તેને ફિલ્મો માટે રોલ પણ મળવા લાગ્યા. ખૂન ભરી માંગ પછી, તે ઘાયલ સ્ત્રી, દયાવાન, આઝાદ દેશ કે ગુલામ, પ્યાર કા દેવતા, અકેલા, દિલ તેરા આશિક, દલાલ, વિશ્વાત્મા, નિશાના જેવી ફિલ્મોમાં દેખાયો. તેમની ફિલ્મી સફરમાં તેમણે મોટાભાગે નકારાત્મક ભૂમિકાઓ ભજવી હતી. તે છેલ્લે મોટા પડદા પર ફિલ્મ તુફાન સિંહમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લો કેટલાક દિવસોમાં અભિનય ક્ષેત્રના અનેક જાણીતા ચહેરાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તાજેતરમાં જ અભિનેત્રી સુલોચના લાટકરનું લાંબી બિમારી બાદ નિધન થયું તો મહારાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવનાર ગૂફી પેન્ટલે પણ દુનિયામાંથી વિદાય લીધી હતી. 

bollywood news entertainment news indian television