પાત્રને પસંદ કરતાં પહેલાં એમાં શું જુએ છે આશુતોષ રાણા?

15 May, 2024 06:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં ‘મર્ડર ઇન માહિમ’ વેબ-શોમાં જોવા મળી રહ્યો છે.

આશુતોષ રાણા

આશુતોષ રાણા હંમેશાં પાત્ર કેટલું લાંબું છે એના કરતાં એ કેટલું મહત્ત્વનું છે એના પર વધુ ધ્યાન આપે છે. તે હાલમાં ‘મર્ડર ઇન માહિમ’ વેબ-શોમાં જોવા મળી રહ્યો છે. એ વિશે વાત કરતાં આશુતોષ કહે છે, ‘ઍક્ટિંગની જ્યારે વાત આવે છે ત્યારે હું પાત્ર કેટલા સમય માટે છે એ જોવા કરતાં એ કેટલું મહત્ત્વનું છે એના પર વધુ ફોકસ કરું છું. હું એક જ પ્રકારનું પાત્ર બે વાર ભજવવામાં નથી માનતો. હું હંમેશાં મારી જાત સાથે પ્રામાણિક રહીને પાત્રને સમજવાની કોશિશ કરું છું જેથી સ્ક્રીન પર એને વધુ સારી રીતે ભજવી શકું.’

entertainment news bollywood buzz bollywood news ashutosh rana