28 July, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂરની ઇચ્છા છે કે તે રણબીર કપૂર સાથે ફરી પાછો કામ કરે. બન્નેએ અગાઉ ૨૦૧૩માં આવેલી ‘યે જવાની હૈ દીવાની’માં કામ કર્યું હતું. ચાર ફ્રેન્ડ્સની સ્ટોરી દેખાડતી એ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ અને આયાન મુખરજીએ ડિરેક્ટ કરી હતી. રણબીર સાથે ફરી કામ કરવા વિશે આદિત્ય રૉય કપૂર કહે છે, ‘મારે રણબીર સાથે ફરી કામ કરવું છે. એ ફિલ્મમાં તેની સાથે કામ કરવાની ખૂબ મજા પડી હતી. અમે ખૂબ સરસ રીતે સમય પસાર કર્યો હતો એથી આશા છે કે જો કોઈ મજેદાર સ્ટોરી મળે તો અમે ચોક્કસ સાથે કામ કરીશું.’