06 May, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ‘કીડીના રાફડાની જેમ વિશ્વભરમાં અનેક ટી૨૦ લીગ રમાતી થઈ હોવાથી ક્રિકેટ હવે ફુટબૉલના માર્ગે જઈ રહ્યું છે અને ભવિષ્યમાં ખેલાડીઓ માત્ર આ લીગમાં અને વર્લ્ડ કપ જેવી ઇવેન્ટમાં જ રમવાનું પસંદ કરશે.’