Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કમબૅક માટે બાબર આઝમને કયો ગુરુમંત્ર આપ્યો વીરેન્દર સેહવાગે?

કમબૅક માટે બાબર આઝમને કયો ગુરુમંત્ર આપ્યો વીરેન્દર સેહવાગે?

Published : 22 October, 2024 08:22 AM | Modified : 22 October, 2024 09:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમને હાલમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ખરાબ ફૉર્મને કારણે બહાર થવું પડ્યું હતું.

વીરેન્દર સેહવાગ, બાબર આઝમ

વીરેન્દર સેહવાગ, બાબર આઝમ


ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમને હાલમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ખરાબ ફૉર્મને કારણે બહાર થવું પડ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ પર વાત કરતાં ભારતીય દિગ્ગજ વીરેન્દર સેહવાગે બાબર આઝમને શાનદાર કમબૅક માટે ગુરુમંત્ર આપ્યો હતો.


૪૬ વર્ષના સેહવાગે કહ્યું હતું કે ‘બાબર આઝમે હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. તેણે તેની ફિટનેસ પર કામ કરવું જોઈએ, પરિવાર સાથે થોડો સમય વિતાવવો જોઈએ અને પછી શારીરિક રીતે ફિટ અને માનસિક રીતે મજબૂત ક્રિકેટર તરીકે ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે પાછા ફરવું જોઈએ. કૅપ્ટનપદેથી રાજીનામું આપ્યા પછી એવું લાગે છે કે તે ટેક્નિકના સંદર્ભમાં માનસિક રીતે વધુ પ્રભાવિત થયો છે. તેણે માનસિક રીતે મજબૂત રહેવાની જરૂર છે. તે પ્રતિભાશાળી ખેલાડી છે અને તેના જેવા ખેલાડીઓ ઝડપથી કમબૅક કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK