Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૮ વર્ષની મૉડલના સુસાઇડ કેસમાં ફસાયો ૨૩ વર્ષનો સનરાઇઝર્સનો અભિષેક શર્મા

૨૮ વર્ષની મૉડલના સુસાઇડ કેસમાં ફસાયો ૨૩ વર્ષનો સનરાઇઝર્સનો અભિષેક શર્મા

22 February, 2024 07:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક શર્મા પ્રથમ વખત વિનુ માંકડ ટ્રોફીમાં પંજાબ માટે અન્ડર-19 ડેબ્યુમાં સેન્ચુરી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો.

અભિષેક શર્મા

અભિષેક શર્મા


આઇપીએલ ૨૦૨૪ની શરૂઆત પહેલાં જ સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર ઓપનર વિવાદોમાં ફસાયો છે. સુરતમાં ૨૮ વર્ષની મૉડલ તાનિયા સિંહે ૧૯ ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં ભારતીય ક્રિકેટના ઊભરતા સ્ટાર અભિષેક શર્માને પૂછપરછ માટે સુરત પોલીસ દ્વારા સમન મોકલવામાં આવ્યા છે. તાનિયાએ સુરતના વેસુ રોડ પર આવેલા હૅપી એલિગન્સ અપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા આ સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર મૉડલના સંપર્કમાં હોવાના અહેવાલ છે. અભિષેક શર્મા પ્રથમ વખત વિનુ માંકડ ટ્રોફીમાં પંજાબ માટે અન્ડર-19 ડેબ્યુમાં સેન્ચુરી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. તેણે ૨૦૧૬માં અન્ડર-19 એશિયા કપમાં તેની કૅપ્ટનશિપ હેઠળ ભારતને જીત અપાવી હતી. ૨૦૧૮ના અન્ડર-19 વર્લ્ડ કપના થોડા મહિના પહેલાં તેને પૃથ્વી શૉના બદલે કૅપ્ટન બનાવવામાં આવ્યો, તેણે ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૨૦૧૮માં જ તેને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તેના વિસ્ફોટક અદાંજને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને સાઇન કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK