Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રિપુરા સામેની રણજી મૅચમાં કેમ નહીં રમે મુંબઈનો ઐયર?

ત્રિપુરા સામેની રણજી મૅચમાં કેમ નહીં રમે મુંબઈનો ઐયર?

Published : 24 October, 2024 11:30 AM | Modified : 24 October, 2024 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં મુંબઈની ટક્કર ૨૬ ઑક્ટોબરે અગરતલામાં ત્રિપુરા સામે થવાની છે. આ મૅચમાં મુંબઈનો સ્ટાર બૅટર શ્રેયસ ઐયર નહીં રમે

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર


રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં મુંબઈની ટક્કર ૨૬ ઑક્ટોબરે અગરતલામાં ત્રિપુરા સામે થવાની છે. આ મૅચમાં મુંબઈનો સ્ટાર બૅટર શ્રેયસ ઐયર નહીં રમે. મુંબઈ ક્રિકેટ અસોસિએશને કહ્યું હતું કે ઐયરે મુંબઈની સિલેક્શન કમિટી સામે થોડા દિવસના આરામ માટે અપીલ કરી હતી જેને સ્વીકારવામાં આવી છે. ૬ નવેમ્બરથી બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મુંબઈની ટીમ ઓડિશા સામે ટકરાશે. ગયા અઠવાડિયે ઐયરે મહારાષ્ટ્ર સામે ૧૪૨ રનની ઇનિંગ્સ રમી હતી જેને કારણે મુંબઈને સીઝનની પહેલી જીત નોંધાવવામાં મદદ મળી હતી. ત્રિપુરા સામેની મૅચ દરમ્યાન પૃથ્વી શૉ અને શ્રેયસ ઐયરની ગેરહાજરીને કારણે અન્ય યુવા ક્રિકેટર્સને ટૅલન્ટ બતાવવાની તક મળશે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2024 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK