Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્લેયરોને રમવાની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આપીને અમે વિજય મેળવ્યો: અજિંક્ય રહાણે

પ્લેયરોને રમવાની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આપીને અમે વિજય મેળવ્યો: અજિંક્ય રહાણે

Published : 09 October, 2024 11:16 AM | Modified : 09 October, 2024 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની ટીમને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ૫૦ લાખ રૂપિયા અને MCA તરફથી એક કરોડ રૂપિયાની ઇનાaમી રકમ મળશે

૨૭ વર્ષ બાદ મુંબઈ ઈરાની કપ જીત્યું

૨૭ વર્ષ બાદ મુંબઈ ઈરાની કપ જીત્યું


અજિંક્ય રહાણેની આગેવાનીમાં ૨૭ વર્ષ બાદ મુંબઈ ઈરાની કપ જીત્યું હતું. સોમવારે સાંજે ટીમના ખેલાડીઓએ ટ્રોફી સાથે ડાન્સ કરીને સન્માન-સમારોહમાં એન્ટ્રી મારી હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ ઈરાની કપ ચૅમ્પિયન બનવા બદલ ટીમને એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. મુંબઈની ટીમને ચૅમ્પિયન બનવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ૫૦ લાખ રૂપિયાની ઇનામી રકમ મળશે. 


આ ઇવેન્ટમાં કૅપ્ટન રહાણેએ કહ્યું હતું કે ‘સફળતાનું કોઈ રહસ્ય નથી. એક કૅપ્ટન તરીકે ખેલાડીઓને સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આપવો મહત્ત્વનો છે, કારણ કે દરેક ખેલાડી પોતાની ક્ષમતા મુજબ મૅચ-વિનર હોય છે.’



૨૨૨ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બનેલા સરફરાઝ ખાને પપ્પા નૌશાદ ખાન અને નાના ભાઈ મુશીર ખાનને ટ્રોફી આપીને ફોટો માટે પોઝ પણ આપ્યો હતો. તેણે અકસ્માતમાં ઘાયલ થયેલા મુશીર ખાનને પોતાની ડબલ સેન્ચુરી સમર્પિત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2024 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK