Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેતેશ્વર પુજારાની ક્રિકેટ કરીઅર પર ઊઠ્યો સવાલ

ચેતેશ્વર પુજારાની ક્રિકેટ કરીઅર પર ઊઠ્યો સવાલ

Published : 24 August, 2024 07:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાઉન્ટી ચૅમ્પિયનશિપ માટે સસેક્સ ટીમે કરાર સમાપ્ત કર્યો

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા


ભારતનો ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્વર પુજારા આવતા વર્ષની કાઉન્ટી ચૅમ્પિયનશિપ માટે સસેક્સ ટીમમાં નહીં રમે, કેમ કે ઇંગ્લૅન્ડની આ ક્લબે તેનો કરાર સમાપ્ત કર્યો છે. જોકે સસેક્સ તરફથી રમાયેલી છેલ્લી મૅચમાં પુજારાએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી અને મિડલસેક્સ સામે ૧૨૯ રનની ઇનિંગ્સ રમ્યો હતો. એ પહેલાં તેણે ડર્બીશર સામે ૧૧૩ રન બનાવ્યા હતા. આટલા ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં સસેક્સે સતત ત્રીજી ચૅમ્પિયનશિપમાં રમનાર આ ભારતીય ક્રિકેટરનો કરાર સમાપ્ત કર્યો છે.


હવે શું કરશે ચેતેશ્વર પુજારા?



ચેતેશ્વર પુજારાને પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થતી દુલીપ ટ્રોફીમાં સ્થાન નથી મળ્યું. હવે આ ખેલાડી રણજી ટ્રોફીમાં જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહે છે કે પુજારાની ભવિષ્યની રણનીતિ શું છે? ચેતેશ્વર પુજારા ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંનો એક છે. પ્રોફેશનલ ક્રિકેટમાં તેણે અત્યાર સુધી ૮૨ સદી ફટકારી છે. છેલ્લે ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમનાર ૩૬ વર્ષનો રાજકોટનો આ ખેલાડી ભારત માટે ૧૦૩ ટેસ્ટ અને માત્ર પાંચ વન-ડે રમ્યો છે, પણ હજી સુધી ભારત માટે T20માં ડેબ્યુ નથી કરી શક્યો.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2024 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK