Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં પરત ફરવું એ પુનર્જન્મ જેવું લાગે છે

વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં પરત ફરવું એ પુનર્જન્મ જેવું લાગે છે

Published : 08 October, 2024 11:36 AM | Modified : 08 October, 2024 12:00 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લેગ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ લગભગ ત્રણ વર્ષ પછી ભારતીય ટીમમાં પુનરાગમન કરીને બંગલાદેશ સામે ચાર ઓવરમાં ૩૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.

વરુણ ચક્રવર્તી અને સૂર્યકુમાર યાદવ

વરુણ ચક્રવર્તી અને સૂર્યકુમાર યાદવ


લેગ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ લગભગ ત્રણ વર્ષ પછી ભારતીય ટીમમાં પુનરાગમન કરીને બંગલાદેશ સામે ચાર ઓવરમાં ૩૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ૩૩ વર્ષના આ સ્પિનરે કહ્યું હતું કે ‘ટીમમાં પરત ફરીને સારું લાગે છે. હું ઇમોશનલ હતો અને એ મને પુનર્જન્મ જેવું લાગ્યું. IPL પછી હું કેટલીક ટુર્નામેન્ટ રમ્યો અને આર. અશ્વિન સાથે તામિલનાડુ પ્રીમિયર લીગ જીત્યો એનાથી મારું મનોબળ વધ્યું. સાઇડ સ્પિનને બદલે ઓવરસ્પિન પર ફોકસ કરવું ફાયદાકારક સાબિત થયું. એ સ્પિન બોલિંગનું એક સૂક્ષ્મ ટેક્નિકલ પાસું છે, પરંતુ મને એમાં નિપુણતા મેળવવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો. મેં શક્ય એટલી વધુ ઘરેલુ ક્રિકેટ રમવાને પ્રાથમિકતા આપી અને એનાથી મને મદદ મળી.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 12:00 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK