Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશી કૅપ્ટન પોતાની ટીમ માટે કહે છે... અમારા બૅટર્સને ખબર નથી કે ૧૮૦ રન કેવી રીતે બનાવવા

બંગલાદેશી કૅપ્ટન પોતાની ટીમ માટે કહે છે... અમારા બૅટર્સને ખબર નથી કે ૧૮૦ રન કેવી રીતે બનાવવા

Published : 08 October, 2024 11:40 AM | Modified : 08 October, 2024 12:02 PM | IST | Gwalior
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાર બાદ બંગલાદેશી કૅપ્ટને કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી T20 ફૉર્મેટમાં સારું રમ્યા નથી, પરંતુ હું માનું છું કે અમારી એટલી ખરાબ ટીમ નથી. અમારા બૅટિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું નથી.

કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ૨૭ રન ફટકાર્યા હતા

કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ૨૭ રન ફટકાર્યા હતા


ગ્વાલિયરમાં રમાયેલી T20 મૅચમાં બંગલાદેશની ટીમ ૧૨૭ રને ઑલઆઉટ થઈ હતી. ઑલરાઉન્ડર મહેદી હસન મિરાઝ (૩૫ રન) અને કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતો (૨૭ રન) સિવાય કોઈ ઝળક્યું નહોતું. આ હાર બાદ બંગલાદેશી કૅપ્ટને કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી T20 ફૉર્મેટમાં સારું રમ્યા નથી, પરંતુ હું માનું છું કે અમારી એટલી ખરાબ ટીમ નથી. અમારા બૅટિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું નથી. અમારી પાસે ક્ષમતા છે પણ અમારે આવડત પર કામ કરવું પડશે. અમારા બૅટ્સમેનોને ખબર નથી કે ૧૮૦ રન કેવી રીતે બનાવાય, કારણ કે અમને ઘરઆંગણે આવી પિચો મળતી નથી. હું પિચને જવાબદાર નથી માનતો, પરંતુ અમારે કુશળતા અને માઇન્ડસેટ પર કામ કરવું પડશે.’ ‍


બીજી મૅચ ૯ ઑક્ટોબરે દિલ્હીમાં અને ત્રીજી મૅચ ૧૨ ઑક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 12:02 PM IST | Gwalior | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK